• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ

Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ

11:40 PM May 28, 2026 Gujju News Channel Share on WhatsApp

અમદાવાદના ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)ના માલિકો પર વેપારીઓ સાથે ₹250 કરોડથી વધુની છેતરપિંડીના આરોપ લાગ્યા છે. 267 વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



Oshia Mall Ahmedabad Fraude Case : અમદાવાદમાં આવેલા ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)ના માલિકો સામે કરોડો રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા ઉર્ફે ધીરજ ચોપડા અને તેમની પત્ની કવિતા ચોપરાએ વેપારીઓ પાસેથી ઉધારમાં માલ લઈને આશરે ₹250 કરોડથી વધુની રકમ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયાનો આરોપ લાગ્યો છે. આ મામલે છેલ્લા ઘણા મહિનાથી પેમેન્ટ ન મળતાં અને આપેલા ચેકો બેંકમાં બાઉન્સ થતાં આખરે 267 જેટલા વેપારીઓએ પોલીસ અને સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી છે. વેપારીઓ હવે પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા સરકાર અને પ્રશાસન પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે.


Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!

Read Also : 1 જૂનથી બદલાશે આ 5 નિયમો: UPI થી LPG સુધી અનેક મોટા બદલાવ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે...


► વર્ષોથી ચાલતો વેપાર, અચાનક પેમેન્ટ બંધ


મળતી માહિતી મુજબ, ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)માં વિવિધ પ્રોડક્ટ્સ સપ્લાય કરતા વેપારીઓ લાંબા સમયથી નિયમિત રીતે માલ આપતા હતા. જોકે, છેલ્લા 8 મહિનાથી મોલ તરફથી પેમેન્ટ આપવામાં આવતું ન હતું. વેપારીઓએ માલિકોનો સંપર્ક કરતા તેમને થોડા સમયમાં તમામ ચુકવણી કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી.ખાતરીના ભાગરૂપે વેપારીઓને એડવાન્સ ચેક પણ આપવામાં આવ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી નાણાં ન મળતાં વેપારીઓએ ચેક બેંકમાં જમા કરાવતાં એક પછી એક તમામ ચેક બાઉન્સ થયા હતા. જેના કારણે સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.


► છેતરપિંડી ખુલતા મોલના માલિકોના ફોન બંધ


વેપારીઓનો આક્ષેપ છે કે, છેતરપિંડી (Fraud) સામે આવતાં જ મોલ (Oshia Mall Ahmedabad)ના માલિકો અને સંબંધિત મેનેજરો સંપર્કવિહોણા બની ગયા છે. તેમના ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે. વધુમાં, ઓશિયા મોલ (Oshia Mall Ahmedabad)નો મામલો હવે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સુધી પહોંચ્યો હોવાથી વેપારીઓની ચિંતા વધી ગઈ છે.વેપારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક નાના વેપારીઓએ હજુ સુધી સત્તાવાર ક્લેમ પણ દાખલ કર્યો નથી. અનેક વેપારીઓનું મોટું રોકાણ ફસાઈ જતાં તેમની આર્થિક સ્થિતિ ખરાબ બની ગઈ છે.


► વેપારીઓના કરોડો રૂપિયા ફસાતા કરૂણતા


ભોગ બનનાર વેપારી વિવેકભાઈએ જણાવ્યું કે, “અમે ક્રેડિટ પર માલ સપ્લાય કરતા હતા. NCLTમાં મામલો પહોંચતાં અમારા ₹1.57 કરોડના ચેક રિટર્ન થયા છે. હવે માલિકો સાથે કોઈ સંપર્ક થઈ શકતો નથી.”વેપારી હિતેશભાઈ ઠક્કરે (Hiteshbhai Thakkar) જણાવ્યું કે, “હું મોલમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ સપ્લાય કરતો હતો. અમે કંપનીઓને એડવાન્સ પેમેન્ટ કરીને માલ ખરીદ્યો હતો, જેના કારણે આખું રોકાણ ફસાઈ ગયું છે.”જ્યારે વેપારી નરેન્દ્ર તિવારી (Narendra Tiwari)એ જણાવ્યું કે, “મને આપવામાં આવેલા ચેક પર બેંકમાં જમા કરાવતા પહેલાં જ સ્ટોપ પેમેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું.”


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Oshia Mall Ahmedabad Fraude Case



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિ ભવિષ્ય 29 મે 2026: શુક્રવારે માતા લક્ષ્મીની કૃપા કઈ રાશિ પર વરસશે?

  • 28-05-2026
  • Gujju News Channel
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ
    • 28-05-2026
    • Gujju News Channel
  • ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ
    • 28-05-2026
    • Gujju News Channel
  • Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું ક્વોલિફાયર-૨ માં જોવા મળશે વૈભવનું તોફાન? ગુજરાત સામે આ ૩ મોટા રેકોર્ડ ધ્વસ્ત કરવા મેદાને ઉતરશે આ વિસ્ફોટક ઓપનર!
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!
    • 28-05-2026
    • Gujju News Channel
  • બોબી દેઓલ સાથેના પ્રેમ સંબંધ પર પૂજા ભટ્ટે વર્ષો પછી તોડ્યું મૌન, કહ્યું- 'તેની સાથે વિતાવેલી એ ક્ષણો...'
    • 28-05-2026
    • Gujju News Channel
  • Health Tips: સવારે ખાલી પેટે કેમ ચાવવા જોઈએ ફુદીનાના પાન? જાણો ૪ અદ્ભુત ફાયદા
    • 28-05-2026
    • Gujju News Channel
  • 1 જૂનથી બદલાશે આ 5 નિયમો: UPI થી LPG સુધી અનેક મોટા બદલાવ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે...
    • 28-05-2026
    • Gujju News Channel
  • 'કચ્ચા બાદામ ગર્લ' અંજલી અરોરાએ બિકની પહેરી બોલ્ડનેસથી લગાવી આગ ! જુઓ ફોટોઝ
    • 28-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us