• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • 9 નવેમ્બરથી મગફળી સહિતના 4 પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા CMની જાહેરાત

9 નવેમ્બરથી મગફળી સહિતના 4 પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા CMની જાહેરાત

04:25 PM November 05, 2025 Gujju News Channel Share on WhatsApp

ગુજરાત સરકારે ખેડૂતોને મોટી રાહત આપતાં 9 નવેમ્બરથી મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક મદદ મળશે.



Gujarat Goverment Purchase Groundnut At Support Price : ગુજરાત સરકાર તરફથી ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે 9 નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે મોટી જાહેરાત કરી.


► મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને ખેડૂતો માટે આ રાહતભરી જાહેરાત કરી છે. તેમણે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર પોસ્ટમાં લખ્યું, 'કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે. રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.'


► માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોની સહાય


મુખ્યમંત્રીએ આગળ લખ્યું - 'કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે, અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે.' માવઠાથી અસરગ્રસ્ત ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા કરીને સરકારે આ જાહેરાત કરી છે. આ નિર્ણયથી રાજ્યના અન્નદાતાઓને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળશે અને ખેડૂતોના હિતમાં સરકારની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.


► રાજ્ય સરકાર સૌથી મોટુ રાહત પેકેજ જાહેરાત કરશે!


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સતત કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું છે, એવામાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે. સાથે જ જણાવી દઈએ કે ખેડૂતોના પાકની નુકસાનીનો સર્વે થઈ ચૂક્યો છે અને આજે સરકાર સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત કરવાની છે, એવામાં હવે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીની શરૂઆતની જાહેરાતથી ખેડૂતોને ભારે રાહત મળી છે. સરકારના આ પગલાથી ખેડૂતોને રાહત મળશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઉભી રહેવા પ્રતિબદ્ધ છે.

રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. જે અંતર્ગત…

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 5, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરુ થશે પ્રથમ પેપર, જુઓ ટાઇમટેબલ

  • 08-11-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 નવેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-11-2025
    • Gujju News Channel
  • પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે ?
    • 07-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 નવેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-11-2025
    • Gujju News Channel
  • ‘લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે: આ ગુજરાતી ફિલ્મ જોઇ લોકો કેમ કહી રહ્યા છે… જય દ્વારકાધીશ! Gujarati Movie Laalo Review
    • 05-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 નવેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-11-2025
    • Gujju News Channel
  • 9 નવેમ્બરથી મગફળી સહિતના 4 પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા CMની જાહેરાત
    • 05-11-2025
    • Gujju News Channel
  • દેવ દિવાળીએ સોનાના ભાવમાં આવ્યો સૌથી મોટો ઘટાડો, ખરીદવા દોડશો એવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ
    • 05-11-2025
    • Gujju News Channel
  • AAP નેતાઓ અરસગ્રસ્ત ખેડૂતોને મળશેઃ ગોપાલ ઇટાલિયાએ કહ્યું- …તો ઉઘાડા પગે ચાલીને ગાંધીનગર જઇશ, મુખ્યમંત્રીનો આભાર માનીશ
    • 02-11-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 નવેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-11-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us