• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • ૫૦ ટકા ભારતીયો આળસુ..! શારીરિક શ્રમ નહીં કરે તો ૨૦૩૦ સુધીમાં ૬૦ ટકા ભારતીયો વિવિધ રોગોનો શિકાર બની જશે...

૫૦ ટકા ભારતીયો આળસુ..! શારીરિક શ્રમ નહીં કરે તો ૨૦૩૦ સુધીમાં ૬૦ ટકા ભારતીયો વિવિધ રોગોનો શિકાર બની જશે...

07:11 PM June 27, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Indians Are Suffering From Laziness: 21 જૂનના રોજ તાજેતરમાં જ આપણે યોગ દિવસની ઉજવણી કરી પરંતુ ભારતીય લોકો જ યોગ કે કસરત કરવામાં નિરસતા દેખાવતા હોવાના રિપોર્ટસ સામે આવ્યા છે. દેશમાં લગભગ ૫૦ ટકા પુખ્‍ત લોકો આળસુ છે, જેઓ જરૂરિયાત મુજબ શારીરિક કસરત કરતા નથી. મહિલાઓની હાલત પુરૂષો કરતા પણ ખરાબ છે. જો સ્‍થિતિ આવી જ રહી તો ૨૦૩૦ સુધીમાં ૬૦ ટકા ભારતીયો વિવિધ રોગોનો શિકાર બની જશે. અહીં શારીરિક શ્રમનો અર્થ એ છે કે લોકો કસરત કરતા નથી, ચાલતા નથી કે દોડતા નથી. આનાથી આરોગ્‍યના જોખમમાં વધારો થયો છે.

ધ લેન્‍સેટ ગ્‍લોબલ હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્‍યાસ મુજબ, દક્ષિણ એશિયામાં મોટાભાગના પુખ્‍ત વયના લોકો કસરત અને અન્‍ય શારીરિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં અત્‍યંત આળસુ છે. ભારતમાં, ૫૭ ટકા મહિલાઓ શારીરિક રીતે સક્રિય નથી, જયારે આવા પુરૂષ પુખ્‍ત વયના લોકોની સંખ્‍યા ૪૨ ટકા છે. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન (WHO) સહિત સંશોધકોની ટીમે જણાવ્‍યું હતું કે પુખ્‍ત વયના લોકો શારીરિક રીતે સક્રિય ન હોવાના સંદર્ભમાં ઉચ્‍ચ આવક ધરાવતા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારત બીજા ક્રમે છે. ભારતમાં, ૨૦૦૦માં ૨૨ ટકા પુખ્‍ત વયના લોકો શારીરિક રીતે પૂરતા સક્રિય ન હતા. ૨૦૧૦માં આ સંખ્‍યા ૩૪ ટકા સુધી પહોંચી હતી અને હવે તે ૫૦ ટકા પર પહોંચી ગઈ છે. ૨૦૩૦ સુધીમાં, ૬૦% પુખ્‍ત વયના લોકો ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ધરાવે છે.

Indians Are Suffering From Laziness - ૫૦ ટકા ભારતીયો આળસુ - શારીરિક શ્રમ નહીં કરે તો ૨૦૩૦ સુધીમાં ૬૦ ટકા ભારતીયો વિવિધ રોગોનો શિકાર બની જશે - 50 percent Indians are not doing Exercise these continue by 2030 60 percent of Indians will suffers various diseases

લાંબા સમય સુધી શારીરિક નિષ્‍ક્રિયતા ડાયાબિટીસ અને હૃદય રોગ સહિત અન્‍ય બિન-સંચારી રોગોનું જોખમ વધારે છે. બેઠાડુ જીવનશૈલીને કારણે થતા આ રોગો વિશ્વભરની આરોગ્‍યસંભાળ પ્રણાલીઓ પર ભારણ વધારી રહ્યા છે. ધ લેન્‍સેટ ડાયાબિટીસ એન્‍ડ એન્‍ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ-ઈન્‍ડિયા ડાયાબિટીસ અભ્‍યાસ અનુસાર, ૨૦૨૧માં ભારતમાં ૧૦.૧ કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા. તે જ વર્ષમાં લગભગ ૩૧.૫ કરોડ લોકો હાઈ બ્‍લડ પ્રેશરથી પીડિત હતા. અભ્‍યાસમાં દાવો કરવામાં આવ્‍યો છે કે વિશ્વભરમાં શારીરિક પ્રવૃત્તિમાં પાછળ રહેલા પુખ્‍ત વયના લોકોની સંખ્‍યા ૫ ટકા વધીને ૩૧.૩ ટકા થઈ ગઈ છે. ૨૦૧૦ માં, ૨૬.૪ ટકા પુખ્‍ત વયના લોકો શારીરિક રીતે સક્રિય ન હતા. જો આ ટ્રેન્‍ડ વધુ ચાલુ રહેશે તો શારીરિક પ્રવૃત્તિમાં ૧૫ ટકાનો સુધારો કરવાનો વૈશ્વિક લક્ષ્ય હાંસલ નહીં થાય.

કોઈપણ પુખ્‍ત વ્‍યક્‍તિ કે જે દર અઠવાડિયે ઓછામાં ઓછી ૧૫૦ મિનિટની મધ્‍યમ-તીવ્રતાની અથવા ૭૫ મિનિટની જોરદાર-તીવ્રતાની શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી તે શારીરિક રીતે સક્રિય નથી. સંશોધકોએ ૨૦૦૦ થી ૨૦૨૨ સુધીમાં ૧૯૭ દેશોમાં અપૂરતી શારીરિક પ્રવૃત્તિ મેળવતા પુખ્‍ત વયના લોકોની સંખ્‍યાનો અંદાજ કાઢવા વસ્‍તી-આધારિત સર્વેક્ષણોનું વિશ્‍લેષણ કર્યું.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelfollow for more news on gujju news channelFollow Us On google News Gujju News Channeljoin telegram channel for gujju news channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ૫૦ ટકા ભારતીયો આળસુ - શારીરિક શ્રમ નહીં કરે તો ૨૦૩૦ સુધીમાં ૬૦ ટકા ભારતીયો વિવિધ રોગોનો શિકાર બની જશે - 50 percent Indians are not doing Exercise these conntinue by 2030 60 percent of Indians will suffers various diseases



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

સસ્તા ભાવે લેવું હોય તો લઈ લેજો, સોનાના ભાવમાં 30 ટકાનો ઉછાળો આવશે!

  • 06-12-2025
  • Gujju News Channel
  • Indigo Airlines Case: ઇન્ડિગો મામલે સરકારે આપ્યા હાઈલેવલ તપાસના આદેશ, જવાબદારી નક્કી થશે; કાર્યવાહીની તૈયારી
    • 05-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 ડિસેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-12-2025
    • Gujju News Channel
  • રશિયન પ્રેસિડેન્ટ પુતિનનું ભારતમાં આગમન, PM મોદીએ એરપોર્ટ પર કર્યુ ઉષ્માભેર સ્વાગત
    • 04-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ડિસેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-12-2025
    • Gujju News Channel
  • Indian Rupee Record Low: ભારતીય રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે, ડૉલર સામે પહેલીવાર 90ની સપાટી પાર
    • 03-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ડિસેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-12-2025
    • Gujju News Channel
  • Dharmendra Property: સની-બોબી કે ઈશા-આહના નહીં… ધર્મેન્દ્રએ કોણે સોંપી પોતાની કરોડોની પૈતૃક પ્રોપર્ટી?
    • 02-12-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ડિસેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-12-2025
    • Gujju News Channel
  • સરકારની તિજોરી છલકાઈ, નવેમ્બરમાં GST કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયાને પાર
    • 01-12-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us